Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine
પડતર-સંકલ્પનાઓ
પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું જરૂરી છે. જુદા જુદા પ્રકારની…
વધુ વાંચો >ઉત્પાદન (અર્થશાસ્ત્ર)
ઉત્પાદન (અર્થશાસ્ત્ર) : પ્રકૃતિએ બક્ષેલા પદાર્થોમાં માનવજરૂરિયાત સંતોષી શકે તેવા તુષ્ટિગુણનું સંવર્ધન કરવાની પ્રક્રિયા. ઉત્પાદન દ્વારા કોઈ નવી વસ્તુનું સર્જન થતું કે થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ વિચારીએ તો માનવ ન તો કોઈ નવી વસ્તુનું સર્જન કરી શકે છે, ન તો કોઈ વસ્તુનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ માત્ર તુષ્ટિગુણના સર્જનને ઉત્પાદન કહી…
વધુ વાંચો >અર્થમિતિશાસ્ત્ર
અર્થમિતિશાસ્ત્ર (Econometrics) 1. પ્રાસ્તાવિક : અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા ચકાસવા માટેનું શાસ્ત્ર. ભૂમિતિ ભૂ(જમીન)ના માપનનું શાસ્ત્ર, ત્રિકોણમિતિ ત્રિકોણના માપનનું શાસ્ત્ર તે રીતે અર્થમિતિશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના માપનનું શાસ્ત્ર છે. આ માપન એટલે આંકડાઓ વડે આર્થિક ચલરાશિઓને માપવી (measurement) અને આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ વડે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા અને યથાર્થતા ચકાસવી. અર્થશાસ્ત્ર અને બીજાં અનેક વિજ્ઞાનોમાંના સિદ્ધાંતો મહદંશે પરિબળો…
વધુ વાંચો >ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (I. A. R. I.) : કૃષિવિદ્યા સાથે સંકળાયેલ વિવિધ શાખાઓમાં ઉચ્ચ કેળવણી, સંશોધન અને તાલીમ આપતી ભારતની અગ્રિમ સંસ્થા. આ સંસ્થાની મૂળ શરૂઆત ભારત સરકારે 1905માં ઉત્તર બિહારના પુસા નામના ગામે કરેલી. આ કારણથી આ સંસ્થા લોકોમાં ‘પુસા ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે ઓળખાય છે. 1934માં બિહારમાં થયેલા મહાવિનાશકારી ધરતીકંપને કારણે આ સંસ્થાને 1936માં…
વધુ વાંચો >ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ
ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ : ભારતનાં અર્ધલશ્કરી દળોમાંનું એક. તેની સ્થાપના ભારત પરના ચીનના આક્રમણના પરિપ્રેક્ષ્યમાં ઑક્ટોબર, 1962માં કરવામાં આવી હતી. તે ચાર પ્રકારની જવાબદારીઓ વહન કરે છે : (1) ભારતની સરહદોનું રક્ષણ કરવું તથા ભારતના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષિતતાની ભાવના પ્રસ્થાપિત કરવી. (2) સરહદ પારથી થતા ગુનાઓ, દાણચોરી, ભારતની બહારથી ભારતમાં ગેરકાયદેસર રીતે…
વધુ વાંચો >વીલૅન્ડ, હેન્રિક ઑટો
વીલૅન્ડ, હેન્રિક ઑટો (Wieland, Heinrich Otto) (જ. 4 જૂન 1877, ફોર્ઝહાઇમ, જર્મની; અ. 5 ઑગસ્ટ 1957, મ્યૂનિક) : પિત્તામ્લો (bile acids) અને સંબંધિત પદાર્થો પર અગત્યનું સંશોધન કરનાર 1927ના વર્ષ માટેના નોબેલ પુરસ્કારવિજેતા જર્મન રસાયણવિદ. તેમના પિતા ડૉ. થિયોડૉર વીલૅન્ડ એક ઔષધ-રસાયણજ્ઞ હતા. મ્યૂનિક, બર્લિન તથા સ્ટટ્ગાર્ટનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કર્યા બાદ વીલૅન્ડ મ્યૂનિકની બાયર લૅબોરેટરીમાં…
વધુ વાંચો >વિચિત્રોતકી (chimera)
વિચિત્રોતકી (chimera) : એકથી વધારે યુગ્મનજ(zygote)માંથી ઉત્પન્ન થયેલ અથવા જનીનિક રીતે (genetically) અલગ વનસ્પતિ અથવા પ્રાણી. પ્રાણીઓ : જોકે કેટલાંક વિચિત્રોતકી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, છતાં મોટાભાગનાં પ્રાયોગિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે; જેમાં કાં તો જુદા જુદા પૂર્વ ભ્રૂણ(preembryo)ના કોષોનું મિશ્રણ કરવામાં આવે છે અથવા પક્વ ભ્રૂણ કે પુખ્ત સજીવમાં પેશીય આરોપણ કરવામાં…
વધુ વાંચો >વિટામિનો (પ્રજીવકો)
વિટામિનો (પ્રજીવકો) માનવશરીરમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં ઊર્જા ઉત્પન્ન ન કરતા હોય તેવા અને ખૂબ થોડી માત્રામાં અનિવાર્યપણે અતિઆવશ્યક સેન્દ્રિય (organic) રસાયણો. આ વ્યાખ્યાને કારણે અસેન્દ્રિય ક્ષારો અને એમિનોઍસિડ તથા મેદામ્લો (fatty acids) કે જે પણ અનિવાર્યપણે અતિઆવશ્યક હોય છે તેમને વિટામિન (પ્રજીવક) તરીકે ગણવામાં આવતા નથી; કેમ કે, ક્ષારો અસેન્દ્રિય છે અને એમિનોઍસિડ અને મેદામ્લોને વધુ…
વધુ વાંચો >વિદ્યુત
વિદ્યુત સ્થિર અને ગતિ કરતા વિદ્યુતભારો, તેમની વચ્ચે પ્રવર્તતાં બળોને લીધે થતી ક્રિયા, તેમના વડે ઉદ્ભવતાં વિદ્યુત અને ચુંબકીય તથા તદનુષંગે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પ્રગતિને તથા માનવ-વિકાસને ઐતિહાસિક વળાંક આપનાર ભૌતિકવિજ્ઞાનના નિસબતરૂપ વિષયોનું ક્ષેત્ર. તેમાં નીચેનાં મહત્વનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે : વિદ્યુતકીય ઇજનેરી : એકદિશી (D.C.) અને ઊલટસૂલટ (A.C.) વિદ્યુતધારાઓમાં; ત્રિકલ (three phase) વિદ્યુતધારા…
વધુ વાંચો >સક્રિય વહન
સક્રિય વહન : જૈવિક પટલો દ્વારા થતા ચયાપચયિત પદાર્થો (metabolites) કે આયનોના વહનનો એક પ્રકાર. આ પદાર્થોનું વહન નિષ્ક્રિય (મંદ) વહન (passive transport) કે સક્રિય વહન (active transport) દ્વારા થાય છે. મંદ વહનની પ્રક્રિયામાં પદાર્થનું વહન વાહકની હાજરી કે ગેરહાજરીમાં પ્રસરણઢોળાવ(diffusion gradient)ની દિશામાં થાય છે. કોષના કોષદ્રવ(cellsap)માં ચયાપચયિત પદાર્થ કે આયનોની સાંદ્રતા બહારના માધ્યમ કરતાં…
વધુ વાંચો >