Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine
નેમાન, જેર્ઝી
નેમાન, જેર્ઝી (જ. 16 એપ્રિલ 1894, બેન્દરી, રશિયા; અ. 5 ઑગસ્ટ 1981, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ રશિયન આંકડાશાસ્ત્રી. 1923માં વૉર્સો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ગાણિતિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં તેમનું ગણનાપાત્ર પ્રદાન છે. આંકડાશાસ્ત્રીય આગણનનો સિદ્ધાંત (theory of estimation) અને પરિકલ્પનાની ચકાસણીના સિદ્ધાંત (hypothesis of testing) પર તેમણે સંશોધનકાર્ય કરેલું છે. તેમને વિજ્ઞાનનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પદક…
વધુ વાંચો >સંશ્લેષિત ઔષધો (synthetic drugs)
સંશ્લેષિત ઔષધો (synthetic drugs) કુદરતી પ્રવિધિ દ્વારા અથવા કુદરતી સ્રોતોમાંથી પ્રાપ્ત થતાં ઔષધોને બદલે કામ આપી શકે તેવાં વિશિષ્ટ રીતે પરિરૂપિત (designed) અને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવતાં ઔષધો. આ સંશ્લેષણ એ ઔષધો આણ્વીય સ્તરે કેવી રીતે વર્તે છે તેના ઉપર આધારિત છે. આવું ઔષધ શરીરમાંના આણ્વીય લક્ષ્ય સાથે આંતર-પ્રક્રિયા (ઔષધક્રિયાવિદ્યા – pharmaco dynamics) તેમજ…
વધુ વાંચો >સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI) ધનબાદ
સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI), ધનબાદ : ભારતના ઇંધનના, ખાસ કરીને કોલસો અને લિગ્નાઇટ જેવા, સ્રોતોને લગતાં પાયારૂપ અને પ્રયુક્ત સંશોધનો માટેની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની એક છે, જેને ISO – 9001 પ્રમાણીકરણ (certification) સૌપ્રથમ પ્રાપ્ત થયું હતું. તે ઇંધનોની ગુણવત્તા અને સૌથી…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન
ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન (IOCU) : ગ્રાહકવર્ગનાં હિતોનું રક્ષણ કરવાના હેતુથી ઊભી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. અમેરિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ તથા નેધરલૅન્ડ્ઝનાં ગ્રાહક-સુરક્ષા-સંગઠનોએ 1960માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આજે તે 50 દેશોમાં ફેલાયેલાં ગ્રાહક-સંગઠનોની પ્રવૃત્તિઓને સાંકળી લેતી કેન્દ્રીય સંસ્થા છે. તેનું મુખ્ય મથક નેધરલૅન્ડ્ઝના હેગ ખાતે છે. એશિયા અને પૅસિફિક વિસ્તારના દેશોને આવરી…
વધુ વાંચો >વૉલ્ડ અબ્રહામ
વૉલ્ડ અબ્રહામ (જ. 31 ઑક્ટોબર 1902, કલુજ, હંગેરી; અ. 13 ડિસેમ્બર 1950, ત્રાવણકોર, ભારત) : અર્થકારણની ગણિત અને સાંખ્યિકી શાખાઓમાં મહત્વનું પ્રદાન કરનાર વીસમી સદીના પૂર્વાર્ધના એક મહત્વના ગણિતજ્ઞ. વૉલ્ડનો જન્મ હંગેરીના એક ચુસ્ત યહૂદી પરિવારમાં થયો હતો. પરિવાર બુદ્ધિસંપન્ન હતો પણ તે સમયના યુરોપમાં યહૂદીઓ પ્રત્યેના ધાર્મિક વૈરભાવને કારણે પરિવારના સભ્યો તેમની બુદ્ધિના પ્રમાણમાં…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી – તિરુવનન્તપુરમ્ (RRL)
રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી, તિરુવનન્તપુરમ્ (RRL) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સ્વાયત્ત સંસ્થા દ્વારા સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. તેના મુખ્ય ઉદ્દેશોમાં પ્રાદેશિક/રાષ્ટ્રીય કુદરતી સ્રોતોના ઇષ્ટતમ ઉપયોગ માટે સંશોધન અને વિકાસને લગતું કાર્ય, પર્યાવરણવિજ્ઞાન અને અપશિષ્ટ જળની માવજતને લગતું સંશોધન, જાતિગત (generic) ટૅકનૉલૉજી અંગે અતિ આધુનિક સંશોધન અને માનવ સંસાધન વિકાસને લગતાં સંશોધનોનો સમાવેશ…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના વિકાસ સાથે પશુપાલનનો વ્યવસાય પણ…
વધુ વાંચો >વિતરણ સિદ્ધાંત (Theory of Distribution)
વિતરણ સિદ્ધાંત (Theory of Distribution) આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વિતરણનો સિદ્ધાંત મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં આવૃત્તિ-વિતરણ (frequency distribution), સંભાવના-વિતરણ (probability distribution) તથા વિતરણ-વિધેય(distribution function)ના પ્રાથમિક ખ્યાલોને આધારે વિવિધ પ્રકારનાં સૈદ્ધાન્તિક વિતરણોનો અભ્યાસ થાય છે. આને આધારે આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિ તેમજ પરિકલ્પના પરીક્ષણની પદ્ધતિઓ વગેરેનું આયોજન કરી શકાય છે. વળી તેના ઉપરથી આંકડાકીય તારતમ્ય (statistical prediction) વિશે…
વધુ વાંચો >મૂત્રાશયમાપન
મૂત્રાશયમાપન (cystometry) : મૂત્રાશયનું કદ, તેમાં ઉદભવતાં દબાણ, તેની દીવાલમાં થતા તણાવ તથા મૂત્રણની ક્રિયા વખતે મૂત્રપ્રવાહનો વેગ વગેરે વિવિધ પરિમાણો માપીને નિદાન કરવાની પદ્ધતિ. તેને મૂત્રણગતિકી તપાસણી અથવા મૂત્રણગતિકી-માપન (urodynamic testing) પણ કહે છે. નીચલા મૂત્રમાર્ગના વિકારોના નિદાનમાં તે ઉપયોગી છે. તેમાં કૃત્રિમ રીતે મૂત્રાશયને ભરવાની અને ખાલી થવાની ક્રિયાઓ કરાવાય છે. તપાસ માટે…
વધુ વાંચો >મનોવૈજ્ઞાનિક પરીક્ષણ
મનોવૈજ્ઞાનિક પરીક્ષણ (psychological testing) : શાબ્દિક/અશાબ્દિક પ્રતિક્રિયા વડે કે અન્ય પ્રકારના વર્તનના નમૂના વડે વ્યક્તિત્વના એક કે વધારે પાસાંને વસ્તુલક્ષી રીતે માપવા માટે રચવામાં આવેલું પ્રમાણીકૃત સાધન. આવા સાધનના વૈજ્ઞાનિક ઉપયોગ વડે વ્યક્તિનું કે સમૂહના માનસનું માપ લેવાની ક્રિયાને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કહેવાય. માનસિક કસોટી રચવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા જટિલ હોઈ તેમાં કેટલાંક વર્ષો વીતી જાય છે.…
વધુ વાંચો >