રામસે, ઍન્ડ્ર્યુ ક્રૉમ્બી (જ. 1814; અ. 1891) : બ્રિટનના એક આગળ પડતા ક્ષેત્રભૂસ્તરશાસ્ત્રી. તેમણે બ્રિટિશ ટાપુઓમાં પ્રવર્તેલા હિમીભવનના પુરાવાઓ એકત્રિત કરી પ્રસ્થાપિત કરેલા. તેઓ ખડક થાળાંમાં થયેલા હિમનદીજન્ય ઘસારાના સિદ્ધાંત માટે તેમજ નદીજન્ય ધોવાણના સિદ્ધાંતને આગળ ધરવા માટે તેમના જીવનકાળ દરમિયાન ખૂબ જાણીતા થયેલા. તેમણે ઇંગ્લૅન્ડ અને વેલ્સના ભૂસ્તરીય નકશા તેમજ પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્તરશાસ્ત્રનું…

વધુ વાંચો >

રામસ્વામી, ઈ. વેંકટ (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડ, તામિલનાડુ; અ. 24 ડિસેમ્બર 1973) : સ્વાતંત્ર્ય-સૈનિક, દલિતોના ઉદ્ધારક, સમાજ-સેવક તથા પત્રકાર. તેમણે દસ વર્ષની વયે શાળાનો અભ્યાસ છોડી દીધો. તેઓ બાર વર્ષની વયે પિતાની સાથે વેપારમાં જોડાયા. રામસ્વામીમાં દેશભક્તિ જાગી. તેથી તેમણે પોતાનો નફાકારક ધંધો છોડી દીધો અને કૉંગ્રેસે શરૂ કરેલા સ્વાતંત્ર્ય-સંગ્રામમાં જોડાયા. તેઓ નિષ્ઠાવાન સ્વાતંત્ર્ય-સૈનિક…

વધુ વાંચો >

રામસ્વામી, પતગુડ્ડી એસ. (જ. 15 મે 1927, કરૈકલ, તમિલનાડુ) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના વિખ્યાત નર્તક અને ગુરુ. પુદુચેરી ખાતે ફ્રેન્ચ માધ્યમમાં તેમણે સ્નાતકની પદવી મેળવી. પછી સંગીતની શિક્ષા એસ. જી. કસીઐયર અને ચિદમ્બરમ્ નટરાજ સુન્દરમ્ પિલ્લૈ પાસેથી મેળવી, જ્યારે ભરતનાટ્યમની તાલીમ ચૈયુર એસ. મણિકમ્ પિલ્લૈ પાસેથી 7 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને પ્રાપ્ત કરી. 1952માં ચેન્નઈ ખાતે…

વધુ વાંચો >

રામાધીન સોની [જ. 1 મે 1929, એસ્પરન્સ વિલેજ, ટ્રિનિડાડ (વેસ્ટ ઇન્ડિઝ)] : ટ્રિનિડાડના ક્રિકેટખેલાડી. પ્રથમ કક્ષાની રમતના અનુભવ પેટે તેઓ માત્ર બે અજમાયશી રમતોમાં રમ્યા હતા. પણ તેઓ વેસ્ટ ઇન્ડિઝના ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની 1950ની ટીમ માટે પસંદ થયા હતા. ત્યાં બીજા એવા જ અપરિચિત ડાબેરી એલ્ફ વૅલેન્ટાઇન (જ. 1930) સાથે મળીને તેમણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓને મંત્રમુગ્ધ…

વધુ વાંચો >

રામાનંદ (જ. આશરે 1299, પ્રયાગ; અ. 1411 બનારસ) : ઉત્તર ભારતમાં ભક્તિ-આંદોલનના પ્રવર્તક સંત. પ્રયાગના કાન્યકુબ્જ બ્રાહ્મણ-પરિવારમાં જન્મ. પિતા પુષ્પસદન શર્મા, માતા સુશીલાદેવી. બચપણથી વિચારશીલ અને ભગવત્-પરાયણ. યુવાવસ્થામાં દક્ષિણ ભારતમાં જઈ શ્રી-સંપ્રદાયના ગુરુ સ્વામી રાઘવાનંદ પાસે દીક્ષા લીધી. થોડા સમયમાં તેઓ શ્રી-સંપ્રદાયના પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાવા લાગ્યા. તેમણે ભારતભરમાં પર્યટન કર્યું. પર્યટન દરમિયાન ખાનપાન અંગેના…

વધુ વાંચો >

રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી (જ. 16 માર્ચ 1929, મૈસૂર; અ. 1993) : કન્નડ તથા અંગ્રેજી ભાષાવિદ અને કવિ. શિક્ષણ મૈસૂર, પુણે તથા અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં. મૈસૂરની મહારાજ કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ.ની અનુસ્નાતક પદવી મેળવ્યા પછી પુણે યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1958-59માં પુણેની ડેક્કન કૉલેજમાં ફેલો તરીકે સેવાઓ આપી. 1960-62 દરમિયાન અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં ફુલબ્રાઈટ સ્કૉલર રહ્યા,…

વધુ વાંચો >

રામાનુજન કપ : ટેબલટેનિસ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એનાયત કરવામાં આવતો કપ. આ કપ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. ટેબલટેનિસ બંધ ઓરડામાં રમાતી વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમત છે અને અત્યારે તો આ રમતને ઑલિમ્પિક્સમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ટેબલટેનિસની રમત ભાઈઓ તથા બહેનો મનોરંજન માટે તેમજ સ્પર્ધા માટે રમે છે. આ કપ રામાનુજનના…

વધુ વાંચો >

રામાનુજન શ્રીનિવાસ આયંગર (જ. 22 ડિસેમ્બર 1887, ઈરોડ, તામિલનાડુ; અ. 26 એપ્રિલ 1920 ચેન્નાઈ) : આધુનિક સમયના ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તામિલનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા રામાનુજન નાનપણથી જ ગણિતમાં ખૂબ તેજસ્વી હતા. તે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ દસમા ધોરણ સુધીનાં ગણિતનાં પાઠ્યપુસ્તકો વાંચી અને સમજી ચૂક્યા હતા. તેઓ મૅટ્રિક 1903માં પાસ થયા તે…

વધુ વાંચો >

રામાનુજાચાર્ય (જ. 1017, પેરુમ્બુદુર અથવા ભૂતપુરી, તમિલનાડુ; અ. 1137) : વેદાંતમાં વિશિષ્ટાદ્વૈતના સ્થાપક આચાર્ય. વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય રામાનુજ થયા. તેમનાં માતા કાંતિમતી યામુનાચાર્યનાં પુત્રી હતાં અને તેમના પિતાનું નામ કેશવ યજ્વન્ હતું. યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા. રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું; પરંતુ પાછળથી મહાપૂર્ણે તેમનું નામ…

વધુ વાંચો >

રામાયણ : સંસ્કૃત ભાષાના આદિકવિ વાલ્મીકિએ રચેલું મહાકાવ્ય. રામ + અયન = રામનું ચરિત. વેદવિદ્યાના ઉપબૃંહણાર્થે રચાયેલ બે ઇતિહાસકાવ્યોમાંનું પ્રથમ. તેની વિશ્વમાં શ્રેષ્ઠ ગણાયેલી કથા તથા ભાવવાહિતાએ જનહૃદયને હજારો વર્ષોથી જકડી રાખ્યું હોઈ તે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં વિવિધ સ્વરૂપે પ્રકટ થતું રહ્યું છે. માનવહૃદયને વ્યક્ત કરવામાં, માનવના ઉત્કૃષ્ટ આદર્શો અને ઊંડી આકાંક્ષાઓના પ્રકટીકરણમાં…

વધુ વાંચો >